
મોરબીના પંચાસર રોડ પર આવેલ ન્યુજનકનગર સોસાયટીમા રહેતા આરીફભાઈ હાજી સુલેમાનભાઈ સાઈચાની સહેજાદી માહેરાએ પાંચ વર્ષની નાની ઉમરે રોઝુ રાખી ખુદાની ઈબાદત કરી
તાજેતરમા માહે રમઝાન માસના ઈબાદતના મહિનામા નાના ભુલકાઓથી માંડીને વૃધ્ધો સુધીના મુસ્લીમ બીરાદરો રમજાન માસના ધોમધખતા તાપમા સવારે શહેરી કરી રોઝા બંધ કરી સાંજ સુધી ભુખ્યા તરસ્યા રહી સાંજે રોઝા ખોલી ઈફતારી કરે છે અને પાંચ વખતની નમાઝ અદા કરી તરાબીની નમાઝ અદા કરી પરવરદિગારની બંદગી કરે છે
ત્યારે આ રમઝાનના પવિત્ર માસમા મોરબીના પંચાસરરોડ પર આવેલ ન્યુજનકનગર સોસાયટીમા રહેતા આરીફભાઈ હાજી સુલેમાનભાઈ સાઈચાની લાડકી શહેજાદી માહેરાએ પાંચ વર્ષની નાની ઉમરે રમઝાનમાસમા રોઝુ રાખી નમાઝ અદા કરીને ખુદાની બંદગી કરતા સાઈચા પરીવારે માહેરાબાનુને ફુલહાર કરી સન્માન સાથે દુવાઓ માંગી રોઝુ ખોલાવ્યુ હતુ અલ્લાહ તઆલા સાઈચા પરીવારને રમજાન મુબારકના સદકે રોઝીરોટીમા બરકત આપે અને હરબલા આફતથી બચાવે તેવી મોરબી માસ્ટરે દુવા માંગી હતી