
માળીયામિંયાણાના સુલતાનપુર ખાખરેચી સહીતના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં PGVCL ટીમની વાવાઝોડા વરસાદ વચ્ચે પ્રશંસનીય કામગીરી
માળીયા મિંયાણા ગોપાલ ઠાકોર દ્રારા
ખાખરેચી સુલતાનપુર વિસ્તારમાં PGVCL કર્મચારીઓ ખડેપગે રહી કરી કાબિલેદાદ કામગીરી
માળીયામિંયાણાના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં PGVCL ટીમની કામગીરી કાબીલેદાદ રહી છે બિપોરજોય વાવાઝોડુ કચ્છના જખૌ પાસે ટકરાયુ જેની અસર મોરબી જિલ્લામાં પણ વર્તાઈ હતી અને નવલખી પોર્ટ સહીત જિલ્લાભરમાં ૮૦ કીલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે મોરબી જિલ્લામાં ઠેર-ઠેર વિજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા ત્યારે માળીયાના સુલતાનપુર ખાખરેચી ચીખલી માણાબા વેજલપર જુનાઘાંટીલા વેણાસર કુંભારીયા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની જોરદાર અસર જોવા મળી હતી જેના કારણે સુલતાનપુર ખાખરેચી ચીખલી ગામે વિજપોલ ધરાશાયી થયા જેને યુધ્ધના ધોરણે ઉભા કરવા આ વખતે PGVCL ટીમના આગોતરા આયોજનના કારણે વિવિધ વિભાગમાં ટીમો તૈયાર કરી કાર્યરત સ્ટાફને ખડેપગે રાખી રાત દિવસ ઉમદા કામગીરી કરી વાવાઝોડા સાથે ચાલુ વરસાદે કર્મચારીઓએ ફરજ બજાવી હતી જેમા સુલતાનપુર ખાખરેચી ચીખલી ગામે વિજપોલ ધરાશાયી થતા જેની જાણ PGVCL કર્મચારીઓને થતા તાત્કાલિક ટીમો સ્થળ પર પહોચી જઈ વિજપોલ ઊભા કરી પુન: વિજ પુરવઠો કાર્યરત કર્યો હતો જેમા ખાખરેચી સરકારી હોસ્પિટલ પાસે સુલતાનપુર રોડ પર ચીખલી ગામમાં વિજપોલ ઊભા કરી વિજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી PGVCL કર્મચારીઓ બિપોરજોય વાવાઝોડા વચ્ચે તનતોડ મહેનત કરી ખડેપગે રહ્યા હતા જે વેજલપર પાવર હાઉસ ખીરઈ સબ સ્ટેશનના આવતા ગામડાઓને રાત્રી દરમિયાન તોફાની પવન વચ્ચે વિજ પુરવઠો ચાલુ રાખી બિપોરજોય વાવાઝોડા સામે ટક્કર લીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તોફાની પવન વચ્ચે તા.૧૫/૧૬ જૂન રાત્રી દરમિયાન વિજપુરવઠો ચાલુ રાખી ખડેપગે રહ્યા તે બદલ PGVCL સ્ટાફની લોકોએ પ્રશંસા કરી હતી