
મોરબીના પીપળી મુકામે ઉદાસીન આશ્રમે બ્રહ્મલિન પૂજ્ય સંતશ્રી કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ભજન કિર્તન સાથે ઉજવાઈ
પૂજ્ય કલ્યાણદાસજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિનું આયોજન ઉદાસીન આશ્રમ પીપળી મોરબી મુકામે કરવામાં આવ્યુ હતુ
ગઈકાલે રાત્રે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ તારીખ ૪ ઓગસ્ટ ૨૩ ના રોજ સવારે પાદુકા પૂજન કરવામાં આવેલ પૂજ્ય બાપુ ની સમાધિ માં પૂજન કરવામાં આવેલ પુજ્ય શરદમુની બાપુ દ્વારા ભવ્ય ભંડારા નું આયોજન કરવામાં આવેલ જેમાં ભારત વર્ષ માથી ૨૫૦ સાધુ સંતો પધારેલ હતા આ પ્રસંગે મોરબી ના ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતયા, શ્રી ચંદ્રકાન્ત દફતરી, શ્રી રાકેશભાઈ અમૃતયા, શ્રી અનોપસિંઘ જાડેજા, શ્રી ભુપતભાઇ મહેશ હોટલ,શ્રી કાનજીભાઈ પટેલ પીપળી, અને સમસ્ત પીપળી ના ગ્રામજનો ઉપસ્થિત રહિયા હતા,