
માળીયા મિંયાણાના બગસરા નજીક રણકાંઠા વિસ્તારમા માલેતુજાર પાર્ટીઓ દ્રારા બિન અધિકૃત પેશકદમી થતી હોવાની લોકચર્ચા છતા તંત્રની ચુપકીદી?
માછીમારોની ક્રિકો બંધ કરી ચેર ફોરેસ્ટ વિભાગની નો એન્ટ્રીમા ધુસી ચેરના જંગલોનો સફાયો કરાતો હોવાની ચર્ચા છતા તંત્રના આંખ આડા કાનથી માછીમારોમા રોષ
૧૦૦ એકર મીઠાના અગરની મીઠુ પકવવાની જમીન મંજુર કરાવી બિન અધિકૃત રીતે પેશકદમી કરી બે હજાર એકર મીઠાની અગરો કરવી હોય તો મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના બગસરા ગામ નજીક આવેલ રણકાંઠાની જમીનમા પધારો અહિ ચેર ફોરેસ્ટની અનામત વન વિભાગની ૭૭૭૦ હેકટર જમીનમા નો એન્ટ્રી છે અને જો કોઈ વ્યકિત આ મોરબી જીલ્લાના રેન્જ ફોરેસ્ટ વિભાગની હદમા ગેરકાયદેસર રીતે પેશકદમી કરશે તો પ્રતિબંધીત વિસ્તારમા અન અધિકૃતરીતે પ્રવેશ કરનાર સામે ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની જોગવાઈઓ મુજબ કાયદકીય કાર્યવાહી થશે તેવુ સ્પસ્ટ કાયદો હોવા છતા અમુક રાજકીય પહોચ ધરાવતા માથાભારે તત્વો દ્રારા ખુલ્લેઆમ ચેરના જંગલોનો નાશ કરી પોતાના સ્વાર્થ માટે ચેર ફોરેસ્ટના જંગલોનો નાશ કરી તેમજ માછીમારોની દરિયાઈ પાણીની અવર જવર બંધ કરી ગેરકાયદેસર પેશકદમી કરી રહયા હોવાની લોકચર્ચા જાગી છે ત્યારે આ માછીમારોની રોજગારી છીનવવાનો પ્રયાસ કરનાર અને ચેર ફોરેસ્ટની જમીનમા ગેરકાયદેસર પેશકદમી કરનાર મોટા માથાઓ સામે ફોરેસ્ટ વિભાગ કેમ ચુપકીદી સેવી રહયુ છે? કે પછી તંત્રના ખીસ્સા ગરમ કરવામા આવ્યા છે એટલે તંત્ર મૌન છે જો તંત્રની આંખ નહી ખુલ્લે તો ગુજરાત હાઈકોર્ટમા ન્યાયની માંગણી કરાશે તેવી લોકચર્ચાએ જોર પકડયુ છે