મોરબીમા રામનવમીની શોભાયાત્રામા હઝરત મહંમદ પયગંબર સાહેબની શાનમા ગુસ્તાખી કરી બે કોમ વચ્ચે વયમનસ્ય ફેલાવવાના ઈરાદે નારા લગાવનાર અજાણી મહિલા વિરુધ્ધ ગુન્હો દાખલ કરાયો જુઓ વીડીયો

મોરબીમા રામનવમીની શોભાયાત્રામા હઝરત મહંમદ પયગંબર સાહેબની શાનમા ગુસ્તાખી કરી બે કોમ વચ્ચે વયમનસ્ય ફેલાવવાના ઈરાદે નારા લગાવનાર અજાણી મહિલા વિરુધ્ધ ગુન્હો દાખલ કરાયો જુઓ વીડીયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે મુસ્લીમ ધર્મની લાગણી દુભાવનાર અજાણી મહિલા વિરુધ્ધ આઈ.પી.સી કલમ ૧૫૩ (એ) ૨૯૫ (એ)અને ૫૦૪ મુજબ એફઆઈઆર દાખલ કરાઈ

મોરબીમા તા ૧૭ એપ્રિલના રોજ હિંન્દુ ધર્મનો રામનવભીનો તહેવાર હોવાથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી ત્યારે શોભાયાત્રા દરમ્યાન મચ્છીપીઠ મુસ્લીમ વિસ્તારમા ગેબનશાહપીરની દરગાહ ચોકમા સિલેકટેડ સ્થળે શોભાયાત્રા પહોચતા અજાણી મહિલાએ શોભાયાત્રાના ડી.જે સાઉન્ડમા ભજન ચાલુ હોય તે બંધ કરી પોતાના હાથમા માઈક્રોફોન લઈને મુસ્લીમ ધર્મની લાગણી દુભાય અને બન્ને કોમ વચ્ચે ધિકકાર અને દુશમનાવટ ઉભી થાય તેવા હેતુથી મુસ્લીમ ધર્મના હજરત મોહંમદ પયગંબર સાહેબ વિશે અવિવેકી નારાઓ લગાવી વયમનસ્ય ઉભુ કરવા અને શુલેહશાંતીનો ભંગ થાય તેવા બદ ઈરાદાથી નારાઓ લગાવી કૃત્ય કરતા પોલીસે અજાણી મહિલા વિરુધ્ધ ભારતીય દંડ સહિતાની કલમ- ૧૫૩ (એ) ૨૯૫ (એ) ૫૦૪ મુજબ ગુનો નોંધાયો હતો

રામનવમીની શોભાયાત્રા દરમ્યાન મચ્છીપીઠ મુસ્લીમ વિસ્તારમા મુસ્લીમ ધર્મના પયગંબર હઝરત મોહંમદ સાહેબના નામથી અવિવેકી શબ્દો ઉચ્ચારી નારાઓ લગાવતા મુસ્લીમ ધર્મની લાગણી દુભાતા મુસ્લીમ અગ્રણીઓ અને યુવાનોના ટોળેટોળા એકત્ર થતા એ ડિવિઝનના પી.આઈ.હુકુમતસિહ જાડેજા અને મોરબી શહેર ખતીબ અબ્દુલ રશીદમીંયાબાપુ તેમજ મુસ્લીમ અગ્રણીઓએ મામલો થાળે પાડયો હતો અને બીજા દિવસે મુસ્લીમ ધર્મગુરુઓ અને સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામા એ ડીવીઝન પોલીસ મથકે આ બનાવની પોલીસ ફરીયાદ નોંધાવવાની રજુઆત કરવા જતા પીઆઈએ સંતોષકારક જવાબ આપી તટસ્થ કામગીરીના ભાગ રુપે બનાવની પોલીસ ફરીયાદ નોંધી હતી પરંતુ આ નારા બોલી હઝરત મોહંમદ પયગંબર સાહેબની શાનમા ગુસ્તાખી કરનાર મહિલા અને તેના પરદા પાછળ ભુમીકા ભજવતા વયમનસ્ય ફેલાવવાનો ઈરાદો ધરાવતા માથાઓ કોણ છે તેની તટસ્થ પણે તપાસ કરી અટક કરવા મુસ્લીમ સમાજે રજુઆત કરી હતી

 

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here