
મોરબીના ઘુટુ રોડ પર થયેલ ચકચારી લૂંટના ગુનાના આરોપી રવી પનારાના શરતી જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ
મોરબી ઘુટુ રોડ પર થયેલ ચકચારી લૂંટના ગુનામા ફરિયાદ થયેલ હોઈ મોરબી બી. ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તાર લૂંટ નો બનાવ બનેલ ત્યાર બાદ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ત્રણ આરોપી ની ધડપકડ કરવામાં આવેલ હોઈ ત્યાર બાદ એક આરોપી રવિ ભુદરભાઈ પનારા દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી પ્રકરણના આરોપીના શરતી જામીન મંજુર કર્યા હતાજેમાં આરોપી તરફે મોરબી ના વિદ્વાન યુવા વકીલ દેવ કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.
જેમાં વિદ્વાન વકીલ શ્રી ફેનિલ જે. ઓઝા તથા વકીલ શ્રી દેવ કે. જોષી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધ્યાને લઇ મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓ ના શરતી જમીન મંજુર કરવામાં આવેલ છે.આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ શ્રી જગદીશભાઈ એ.ઓઝા તથા ફેનિલભાઈ જે.ઓઝા તથા યુવા વકીલ (દેવ)દેવીપ્રસાદ. કે. જોષી તથા શહેનાઝબેન ડી. સુમરા તથા એલ. આર. ગઢવી રોકાયા હતા