
માળીયામિંયાણાના જસાપર શ્રી શુક્રમણિ પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો
જસાપર શ્રી શુક્રમણિ પ્રાથમિક શાળાના બાળકોએ બનાવેલી વિવિધ વાનગીઓ ૧૫ સ્ટોલમાં વેચાણ માટે મુકી ઉપસ્થિત સૌને આકર્ષિત કર્યા
માળીયામિંયાણાના જસાપર શ્રી શુક્રમણિ પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો બાળકોમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય વિવિધ ગુણ કેળવાય અને આર્થિક ઉપાર્જનનો અનુભવ મળે તે હેતુથી આનંદ મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતુ કાર્યક્રમની શરૂઆતમાં એસએમસી સભ્ય સુરેશભાઈ હમીરભાઇ ચાવડા મેરામભાઇ ચાવડા અને સુરેશભાઈ કાનગડની હાજરીમાં આનંદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં જુદા જુદા ૧૫ સ્ટોલમાં બાળકોએ વિવિધ વાનગીઓ અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી વેચાણ માટે મુકેલ જેમાં શાળાના શિક્ષકો બાળકો અને વાલીગણ ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોની વાનગી ખરીદી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આનંદ મેળાને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઈ આહિર અને શિક્ષકો ગ્રામજનોએ સારી એવી જહેમત ઉઠાવી હતી