
મોરબીના આંતરરાષ્ટ્રિય એવોર્ડ વિજેતા સંગ્રહકર્તા એડવોકેટ મિતેશ દવે પાસે 800 અને 900 નો સિકકો સૌપ્રથમ આવ્યો હતો
ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર 800 અને 900 રૂપિયા નો સ્મારક સિક્કો બહાર પાડ્યો.
કર્ણાટકના ગવર્નર શ્રી થાવર ચંદ ગેહલોત દ્વારા ભારત સરકાર વતી દ્વારા સ્મારક ટપાલ ટિકિટ અને 800 રૂપિયા અને 900 રૂપિયાનો સ્મારક સિક્કો જૈન ના 23 માં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ જન્મ અને નિર્વાણ કલ્યાણક ના સિક્કા બહાર પાડવામાં આવેલ છે જે મોરબીના એડવોકેટ મિતેશભાઈ દવે પાસે સૌ પ્રથમ આવેલ છે.
મોરબી ના આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંગ્રહકર્તા મિતેષભાઈ દવે એડવોકેટના મત અનુસાર 800 અને 900 રૂપિયા નો સ્મારક સિક્કો ભારત સરકાર દ્વારા પાડવામાં આવેલ છે જે ભારતીય ચલણ ના ઇતિહાસમાં પ્રથમ સિક્કો છે. અને એ સિક્કા નું વજન 40 ગ્રામ હશે અને જેમાં શુધ્ધ 99.99 ચાંદી ધાતુ રહશે. જેની એક તરફ રાષ્ટ્રીય મુદ્રા અશોક સ્તંભ અને બીજી તરફ ભગવાન પાર્શ્વનાથ ની છબી રહશે.