
મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર આવેલ સોરીયો સિરામીક કારખાનેથી દોઢ વર્ષની બાળકીનુ અપહરણ કરનાર આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબી તાલુકાના લખપીરપુર ગામમાં લખધીરપુર રોડ સોરીયો સિરામીક કારખાનામાંથી તા. ૧૮/૦૭/૨૦૨૧ ના રોજ કામ કરતાં આશાબેન મુકેશભાઈ એ તેમની ” આનંળું” નામની દિકરી દોઢ વર્ષની તેઓ કારખાનામાં કામ કરતા હતા તે સમયે મનોજ ટેટીયા નામનો આરોપી અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ મોરબી તાલુકામાં નોંધાવતા. પોલીસે આરોપીને બાળકી સાથે પકડી લીધેલ અને તેમની ચાર્જશીટ રજૂ કરેલ અને આઈ.પી.સી. કલમ ૩૬૩ મુજબનો ગુન્હો નોંધી પોલીસે ચાર્જશીટ રજુ કરેલ જેના અનુસંધાને નામદાર કોર્ટમાં આ કેશ ચાલી જતા આરોપીના યુવા એડવોકેટ તરીકે મોનીકાર્એન એન સાંગાણી રોકાયેલ હતા જેમણે આ કેશને લાગતા વળગતા સાક્ષીઓની ઉલટ તપાસ લઈ ધારદાર દલીલો રજુ કરેલ હતી જેના અનુસંધાને નામદાર કોર્ટે આરોપી સમક્ષ હુકમ ફરમાવી નિદોર્ષ છોડી દેવાનો હુકમ ફરમાવ્યો હતો