
મોરબી જોન્સનગરમા ત્રણ દિવસથી મૃતક પડેલી ગાયની દુર્ગધથી લતાવાસીઓ ત્રાહીમામ પાલીકાતંત્રને રજુઆત છતા મૌનતંત્ર સામે ફિટકાર
તાજેતરમા રમજાનનો પવિત્રમાસ ચાલુ થશે ત્યારે દુર્ગધમા મુસ્લીમ બીરાદરોને રોઝા રાખવામા ખુબજ મુશકેલી વેઠવી પડશે લતાવાસીઓમા રોષ
મોરબી શહેરમા આવેલ જોન્સનગર વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી રખડતી બીનવારસુ ગાયની મૃતક હાલતમા ડેથબોડી પડી છે ત્યારે આ મૃતક ગાયને તાત્કાલિક ખસેડવા માટે લતાવાસીઓ દ્રારા નગરપાલીકાએ રજુઆત કરતા અમુક લોકો જોઈને આ ગાયની બોડી નહી નીકળે તેવુ જણાવી સંતોષ માની પોચાપગે જવાબદારીથી છટકીને નીકળી ગયા હતા ત્યારે તાજેતરમા રમજાનનો પવિત્રમાસ શરુ થવાનો હોવાથી જોન્સનગરમા રહેતા મુસ્લીમ બીરાદરોને રોઝા રાખવામા ખુબજ તકલીફ વેઠવી પડશે જેથી મોરબી નગરપાલીકા તંત્રને રજુઆત કરવા છતા આખ આડા કાન કરે છે જો તાતાકાલિક ધોરણે દુર્ગંધ મારતી મૃતક ગાયને ખસેડવામા નહી આવે તો લતાવાસીઓ દ્રારા દુર્ગંધ મારતી મૃતક ગાયને ગમે તે રીતે ખસેડીને નગરપાલીકા કચેરીના પટણાંગણમા મુકવામા આવશે તેવી લતાવાસીઓમા ચર્ચા ફેલાઈ રહી છે